સમજુતી
આ હદીષમાં નબી ﷺ એ કુરઆન પઢનાર અને તેનાથી ફાયદો ઉઠાવનાર લોકોના પ્રકાર વર્ણન કર્યા:
પહેલો પ્રકાર: તે મોમિન જે કુરઆન પઢે છે અને તેના દ્વારા ફાયદો પણ ઉઠાવે છે, તેનું ઉદાહરણ સિટ્રોન (એક પ્રકારનું ફળ) જેવુ છે, જે સુગંધ સ્વાદ અને રંગમાં સારું હોય છે, અને તેના ઘણા ફાયદા પણ હોય છે, તો તે જે કુરઆન પઢે છે તેના પર અમલ પણ કરે છે, અને તેના દ્વારા અલ્લાહના બંદાઓને ફાયદો પણ પહોંચાડે છે.
બીજો પ્રકાર: તે મોમિન જે કુરઆન પઢે છે, તેનું ઉદાહરણ ખજૂર જેવુ છે, જેનો સ્વાદ તો મીઠો છે, પરંતુ તેમાં કોઈ સુગંધ હોતી નથી, તો તેનું દિલ ઈમાનથી ભરેલું છે, જેમકે ખજૂરમાં અંદર સુધી મીઠાસ હોય છે, પરંતુ તેની બહાર કોઈ સુગંધ નથી હોતી જે લોકો સૂંઘી શકે, અને તે મોમિનના કુરઆન પઢવામાં એવો ફાયદો નથી જોવા મળતો, જેના દ્વારા લોકો તેને સાંભળી ફાયદો ઉઠાવે.
ત્રીજો પ્રકાર: તે મુનાફિક જે કુરઆન પઢે છે, તેનું ઉદાહરણ તકમરિયાં (તુલસીના પાંદળા) જેવુ છે, જેમાં સુગંધ તો સારી હોય છે, પરંતુ તેનો સ્વાદ કડવો હોય છે, તે એવી રીતે કે તેણે પોતાના દિલની ઈમાન વડે ઇસ્લાહ કરી અને ન તો તેણે કુરઆનના આદેશો પર અમલ કર્યો, અને લોકો સમક્ષ જાહેર કરતો રહ્યો કે તે મોમિન છે, તો તેની સુગંધ તો કુરઆન પઢવાની માફક સારી છે, પરંતુ તેનો સ્વાદ તેના કુફ્રની માફક કડવો છે.
ચોથો પ્રકાર: તે મુનાફિક જે કુરઆન નથી પઢતો, તેનું ઉદાહરણ બાવળના ઝાડ જેવુ છે, જેમાં ન તો સારી સુગંધ હોય, અને તેનો સ્વાદ પણ કડવો હોય છે, તેમાં સુગંધ ન હોવાનું ઉદાહરણ તેના કુરઆન ન પઢવાની માફક છે, અને તેના કડવા સ્વાદનું ઉદાહરણ તેના કુફ્ર જેવું છે, તો તેની આંતરિક સ્થિતિ ઈમાનથી ખાલી હોય છે, અને તેનું જાહેર જેમાં કોઈ ફાયદો નથી, પરંતુ તે નુકસાનકારક છે.